Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જામજોધપુરમાં ઠેરઠેર ગંદકી : માથુ ઉંચકી રહેલ રોગચાળો : પાલિકા અને આરોગ્યતંત્ર બેધ્યાન

જામજોધપુર તા.૧૮ : શહેરમાં રોગચાળો માથુ ઉંચકી રહેલ છે. શહેરમાં તાવ ડેન્ગ્યુ શરદી જેવા રોગના ભરડામાં છે ત્યારે શહેરનું આરોગ્યતંત્ર સફાઇ તંત્ર ન.પા. બેધ્યાન છે.

શહેરમાં ઠેર ઠેર ગંદકીના કચરા અનેક રજૂઆતો  છતા સાફ કરવામાં આવેલ નથી ત્યારે આરોગ્ય તંત્ર પણ નકકર કામગીરી કરવાને બદલે દેખાવરૂપ કામગીરી કરી રહ્યાની ફરીયાદો ઉઠી છે.

(11:55 am IST)