Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

તીર્થધામ નારાયણ સરોવરમાં તુલસી વિવાહની ભકિતભાવ પૂર્વક ઉજવણી

 પુરાણ પ્રસિધ્ધ તિર્થધામ શ્રી નારાયણ સરોવર જાગીર ખાતે બિરાજમાન ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજી મહારાજ ના સાનિધ્યમાં તેમજ જાગીરાધ્યક્ષ સુશ્રી સોનલલાલજી મહારાજ ની અધ્યક્ષતામાં તુલસી વિવાહ મહોત્સવ ની ઉજવણી ધામિઁક પરંપરા પ્રણાલીકા મુજબ ધામધૂમથી કરવામાં આવી હતી આ પ્રસંગે કોટેશ્વર મહાદેવ ના મહંત દિનેશગીરી બાપુ તેમજ નારાયણ સરોવર ગામના સરપંચ તેમજ શ્રદ્ધાળુઓ અને યાત્રીઓએ બહોળી સંખ્યામાં દર્શનનો લહાવો લીધો હતો. તુલસી વિવાહના આ કાર્યક્રમમાં મુખ્ય યજમાન પદે શૈલેશ મનુભાઈ ભટ્ટ મુન્દ્રા હાલે ગાંધીધામ રહયાં હતા.(તસ્વીર અહેવાલઃ વિનોદ ગાલા-ભુજ)

(11:53 am IST)