Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સવાશાળામાં બાળદિનની ઉજવણી : બાળસાહિત્યકાર મનોજ પંડયાનું સન્માન

વઢવાણ તા.૧૮ : જોરાવરનગરની સવાશાળામાં બાળદિનની ઉજવણીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે ઝાલાવાડના બાળસાહિત્યકાર મનોજ પંડયા મન તથા કથાકાર દિલીપભાઇ દવે ઉપસ્થિત રહ્યાહતા.

આ પ્રસંગે બાળસાહિત્યકાર મનોજ પંડયાએ સાચા નહેરૂ વીશે પ્રવચન આપ્યુ હતુ અને પોતાની બાળગીત રચનાઓ ગાઇને બાળકોને ભાવવિભોર કરી દીધા હતા તથા પોતાના પ્રકાશીત ૧ક્ષ્ પુસ્તકોનો ભેટ શાળાને અર્પણ કરી હતી.

મનોજ પંડયાનું શિલ્ડ તથા મોમેન્ટો દ્વારા સ્વાગત હર્ષિદાબેન રાવલ (પ્રિન્સીપાલ) દ્વારા કરાયુ હતુ. આ પ્રસંગે સવાશાળા નિયામક ગઢવી તથા તથા અન્ય હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન નીનાબેન આચાર્ય દ્વારા કરાયુ હતુ. વર્ષ દરમિયાન શાળાકીય પ્રવૃતિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા. તમામને મનોજ પંડયા દ્વારા લીખીત બાળવાર્તાનું પુસ્તક ગુલમોર ભેટ અપાયુ હતુ.

(11:41 am IST)