Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

જેતપુરના અકાળા ગામે કૂવા માથી યુવાનની કોહવાયેલી લાશ મળી

કૂવામાં અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની જાણ થતા લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી : ઓળખ મેળવવા તજવીજ

જેતપુર તાલુકાના અકાળાં ગામે આવેલ સુભાષભાઈ રાદડિયાની વાડીના કૂવામાં અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની જાણ તાલુકા પોલીસમાં કરાતા પોલીસે શહેરના એકતા શૉસ્યલ ગ્રુપના સેવાભાવી હારૂન ભાઈ રફાઇની ટીમને બોલાવી લાશ બહાર કઢાવી હતી,. તે લાશ એકદમ કોહવાયેલ હતી. તેની ઉમર અંદાજિત 22 વર્ષ ની છે જો કોઇ ને આ અંગે જાણ હોય તો તાલુકા પોલીસ નો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે. હાલ મૃતદેહ ને પી.એમ. માટે રાજકોટ ખાતે મોકલેલ છે.

(7:18 pm IST)