Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અમરેલીમાં ૨૦ કરોડના ખર્ચે રસ્તાના કામો થશેઃ ધનસુખભાઇ ભંડેરીના હસ્તે ખાતમુહુર્ત

અમરેલીઃ પાલીકા દ્વારા ૨૦ કરોડના ખર્ચે રોડ બનાવવા ગ્રાન્ટ મળતા પાલીકા દ્વારા મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્તે કામમાં ખાતમુહુર્ત સમારોહ યોજાયો હતો. જેમાં ધનસુખભાઇ ભંડેરીએ ખાત મુહુર્ત કર્યા બાદ રોડ કામનો પ્રારંભ થયો હતો. આ સમારોહમાં અમરેલી પાલીકા પ્રમુખ જયંતીભાઇ રાણવાએ સ્વાગત કર્યા બાદ પી.પી.સોજીત્રાએ રોડ કામની રૂપરેખા આપી બાદમાં શ્રી ધનસુખભાઇ ભંડેરી તથા ફાઇનાન્સ બોર્ડના શ્રી નીરગુડે, શ્રી પડણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. બગસરા પાલીકાના ઉપપ્રમુખ નિતિનભાઇ ડોડીયા, સંજય રામાણી, પાલીકા સદસ્યો અને નગરજનોએ ખાતમુહુર્ત સમારોહમાં હાજરી આપી હતી. સંચાલન શ્રી ખોરાસીયાએ કર્યુ હતું. (તસ્વીરઃ અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:48 pm IST)