Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જુનાગઢના ગેસ્ટ હાઉસમાં વેરાવળના યુવાનનો આપઘાત

પડી જતા યુવાનનુ મોત

જુનાગઢ તા.૧૮ : જુનાગઢમાં ચિત્તાખાના ચોક પાસે આવેલ રાજ ગેસ્ટ હાઉસના વેરાવળનો હનીફ ગનીભાઇ પંજા (ઉ.૪પ) ઉતર્યા હતા.

પરંતુ ગઇકાલે આ યુવાન રૂમ બહાર ન આવતા પોલીસને જાણ કરાવઇ હતી. આથી પોલીસે રૂમ ખોલીને તપાસ કરતા હનીફભાઇ બેભાન હાલતમાં મળી આવેલ અને તેને તાત્કાલીક સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

પોલીસની પ્રાથમીક તપાસમાં મરનાર યુવાને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હોવાનું ખુલ્યુ હતું.

પરંતુ મરનારે શા માટે આત્મહત્યા કરી તેનુ કારણ બહાર આવેલ નથી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

પડી જતા મોત

વંથલીના નરેડી ગામના કરશનભાઇ મુળજીભાઇ સીંગલ (ઉ.૪ર) નામના યુવાનનું પોતાના મકાનની ડેલી પાસે અકસ્માતે પડી જવાથી મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે.

(1:44 pm IST)