Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જેતપુરની સગીરા અપહરણ-દુષ્કર્મ કેસમાં ગોપાલ પરમારને ૧૦ વર્ષની કેદઃ ૮ હજારનો દંડ

જેતપુર, તા. ૧૮ :. જેતપુરની સગીરા તેના પરિવાર સાથે સુતેલ હોય સવારે તેની માતા ઉઠતા સગીરા ન હોય તેની તપાસ કરતા તેના પાડોશીએ જણાવેલ કે રાત્રીના સમયે ગોપાલ પરમાર નામનો શખ્સ અહીં આવેલ. જેથી આ ગોપાલના ઘરે - રામૈયા હનુમાન વિસ્તારમાં તપાસ કરતા ગોપાલ પણ ગતરાત્રીથી જ હાજર ન હોય. સગીરાની માતાએ સીટી પોલીસમાં ગત તા. ૨૧-૪-૧૮ના રોજ પોતાની દિકરીનું અપહરણ કરી બદનામ કરવાના ઈરાદે લલચાવી-ફોસલાવી ગયો હોય જેથી પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ પી.આઈ. એમ.એન. રાણાએ હાથ ધરેલ.

આ અંગે કેસ ગઈકાલે સ્પે. જજ એડીશ્નલ સેસન્સની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે વિદ્વાન એડી. પી.પી. કે.એ. પંડયાએ ધારદાર દલીલો કરતા તમામ પુરાવા અને તપાસના કાગળોના આધારે જજશ્રી વોરાએ આરોપી ગોપાલ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીકાભાઈ પરમારને ગુન્હેગાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૮૦૦૦ રૂ.નો દંડ ફટકારેલ છે.

(1:42 pm IST)