Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના મોડી રાત્રીએ વિદેશથી દેશના હૈદરાબાદ પરત ફર્યા..!

જસદણ, તા. ૧૮ : દુનિયાભરના દાઉદી વહોરા સમાજના પ૩માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરરૂસ સાદીક આલીકદર મુફદલ સૈફૂદીન (ત.ઉ.શ.) ગત મોડી રાત્રત્રીના ઇન્ડોનેશિયા શ્રીલંકાના ધાર્મિક પ્રવાસેથી તેવ દેશના હૈદરાબાદ આવી સિકન્દ્રાબાદ પહોંચ્યા હતાં. આવતીકાલે શનિવારે વ્હોરા સમાજમાં શહાદતના શહેનશાહ હજરત ઇમામ હુસૈન (અ.સ.)નું ચહેલુમ હોય તે અનુસંધાને સિકન્દ્રાબાદમાં તેમની સ્મૃતિમાં વાએઝ કરશે. આ સાંભળવા દેશમાંથી બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો ઉમટયા છે.

સૈયદના સાહેબના દેશમાં આગમનથી લાખો વહોરા બિરાદરોમાં ખુશાલી છવાઇ છે. સિકન્દ્રાબાદમાં નમાજ મિસાક નિકાહ જિયાફત જેવા અનેક કાર્યક્રમો આગામી દિવસોમાં યોજાશે તેમ જાણવા મળેલ છે.

(11:57 am IST)