Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જામજોધપુરઃ હંગામી કર્મચારીઓને કાયમી કરવા આવેદન સુપ્રત

ગ્રામ પંચાયતોના વર્કચાર્જ કર્મચારીઓને સમાવવા માંગણી

જામજોધપુર તા.૧૮: અહિંના વર્કચાર્જ કર્મચારી મંડળ દ્વારા હંગામી કર્મચારીઓને કાયમી ગણવા તાજેતરના પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે પરંતુ તેમાં વર્કચાર્જના (ગ્રામ પંચાયત)ના કોમ્પ્યુટર ઓપરેટરનો સમાવેશ થયેલ ન હોય ગ્રામ પંચાયતના કર્મચારીઓને પણ કરવા માંગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટરોને કાયમી કરવા ઉપરાંચ ગ્રામ પંચાયતોમાં વર્ગ-૩ વર્ગ-૪ની નવુ મહેકમ મંજુર કરવા પણ માંગણી કરી છે.

છેલ્લા ૧ર વર્ષથી ઇ ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત વીસીઇ તરીકે સરકારના આદેશ મુજબ કામગીરી બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોને તેમની આવડત મુજબ કલાસ ૩માં સમાવવા વિકાસ કમિશ્નર કચેરી ગાંધીનગરને ઉદેશીને વીસીમંડળ દ્વારા જામજોધપુર તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

(11:39 am IST)