Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ધોરાજીઃ જામકંડોરણા ખાતે કુ. કિર્તી પટેલનું સન્માન કરતા મંત્રી જયેશભાઈ રાદડિયા

ધોરાજી, તા. ૧૮ :. ધોરાજી-જામકંડોરણા ખાતે ખોડલધામ સમિતિ દ્વારા યોજાયેલા રાસ ગરબા મહોત્સવમાં સુરેન્દ્રનગરના રતનપરના વાઘેલા ગામની કુ. કિર્તી પટેલનું ભવ્ય સન્માન કરાયું.

ગ્રામ્ય વિસ્તારની દિકરી હાલ ફેશન ડિઝાઈનનો અભ્યાસ બાદ સુરત સ્થાયી થયેલ અને સોશ્યલ મીડીયામાં મહિલાઓના ઉત્થાન અને બાળકોનો વિકાસ ગરીબ પરિવારનોની દિકરીઓને પગ કરવી કુરીવાજોને તિલાંજલી અને અન્ય કોમેડી પર ટીક ટોક દ્વારા સમાજ માટે સારા મેસેજ કરી સમાજમાં એક નવી દિશાઓ મળે એવા કાર્ય કરવા બદલ સુરતની સેવાભાવી પટેલ યુવતી કુ. કિર્તી પટેલને સન્માનીત કરેલ. આ તકે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ, ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, યાર્ડના ચેરમેન વિહળભાઈ બોદર તેમજ હજારો લોકોની હાજરીમાં સન્માન કરેલ છે.

(10:24 am IST)