Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ભાવનગરમાં વિજશોક લાગતા ૩૦ ફલેમિંગોના મોત

ભાવનગર, તા. ૧૮ : ભાવનગરમાં વિજશોક લાગતા ૩૦ ફલેમીંગોના મોત નિપજયા છે.

ભાવનગરના નવા બંદર વિસ્તારમાં આવેલ એક મીઠાના અગર પાસે ખોરાક પાણીની શોધમાં આવી પડેલા ચાચાવર પંખી ફલેમીંગો ત્યાંથી પસાર થતી હાઇટેન્શન વીજ લાઇનને અડકી જતાં વિજશોકને લઇ એકસાથે ૩૦ ફલેમીંગોના મોત નિપજતાં પક્ષીપ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં વિજતંત્ર અને વન વિભાગની ગંભીર બેદરકારીથી અવારનવાર કુંભારવાડા-બંદર રોડ ઉપર વિજકરંટથી ફલેમીંગો સહિત અનેક પક્ષીઓના મોતના બનાવો છાશવારે બને છે અને આવી ઘટનાનું ફરી પુનરાવર્તન થતાં પર્યાવરણપ્રેમીઓમાં અરેરાટી સાથે રોષ ફેલાયો છે. (૮.૮)

(3:58 pm IST)