Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વિંછીયા માર્કેટીંગ યાર્ડમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ યોજાયું

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૧૮ :. વિંછીયા માર્કેટીંગ યાર્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, પૂર્વ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, વશરામભાઈ રાઠોડ, જેઠાભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઈ વાસાણી, ફોરેસ્ટ વિભાગના એસ.આર. રાઠવા, મામલતદાર પી.એમ. ભેસાણીયા, પ્રાંત અધિકારી પારસ વાંદા સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમ વિંછીયા યાર્ડના સેક્રેટરી આર.જી. કાનેટીયાની યાદી જણાવે છે.

(10:19 am IST)