Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અમરેલી જીલ્લામાં ર૬ને કોરોના

અમરેલી, તા.૧૮ : અમરેલીમાં આજે યમરાજાએ પોરો ખાધો છે અને કોરોનાના એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું પણ જિલ્લામાં કોરોનાના ર૬ કેસ નોંધાયા છે જેમાં અમરેલીના જેસીંગપરા, ચક્કરગઢ રોડ, જશોદાનગર, કલ્યાણનગર, ગંગાપાર્ક, રઘુવીર સોસાયટી, ઓમનગર, ઇશ્વરીયા, મોટા ભંડારીયા, જશવંતગઢ, લાલાવદર અને નવા ખીજડીયામાં કેસ નોંધાયા છે. જયારે કુંડલાના હાથસણી રોડ, દેવળાબેટ, સાધના સોસાયટી, મોલડી, મોટા જીંજુડામાં ૬ તથા બાબરામાં ર, ખારા, હરીપર, લાઠીમાં ર, ફાચરીયા અને ડેડાણમાં કેસ નોંધાયા છે.

ધૂલકા ફૂલ

જાફરાબાદના કામનાથ મંદિર પાસે કોઇ સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા એક માથા વગરનું અને એક માથાવાળુ બાળકને જન્મ આપી.બિનવારસી હાલતમાં બન્ને બાળકોને મૃત હાલતમાં કાલે બપોરના ર-૩૦ કલાક પહેલા ત્યજી દીધેલ હાલતમાં હોય. આ અંગે કમલેશભાઇ નારણભાઇ બાંભલીયાએ જાફરાબાદ પોલીસને જાણ કરતા પોલીસે બંને મૃત બાળકોનો કબ્જો લઇ પી.એમ. માટે જાફરાબાદ દવાખાને ખસેડવામાં આવેલ છે અને આ બાળકના વાલી વારસ કોણ છે તે અંગે તપાસ હાથ ધરી છે.(

(12:42 pm IST)