Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજુલાના સમઢીયાળા-૧ બંધારામાં ર બાળકોના ડુબી જવાથી મૃત્યુઃ બેનો બચાવ

રાજુલા, તા., ૧૮: દરીયા કિનારે આવેલા સમઢીયાળા-૧ના બંધારામાં ૪ બાળકો ડુબ્યા હોવાના સમાચાર આવતા સ્થાનીક યુવાનો અને તરવૈયાઓને મહામુસીબતે ર બાળકોનો ચમત્કારીક રીતે બચાવવામાં સફળતા મળેલ હતી. જયારે બે બાળકોમાંથી ૧ ને રાજુલા સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવેલ જેનું સારવાર દરમિયાન રાજુ મગનભાઇ શિયાળ (ઉ.વ.૧૭) નું મૃત્યુ થયેલ. જયારે નિકુલ મંગાભાઇ ગોલેતર (ઉ.વ.૧૩)નું મહુવા હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે. જયારે શિયાળ વિરસંગભાઇ દુરશનભાઇ તથા ભેડા જયેશભાઇ પ્રવિણભાઇનો મહા મહેનતે બચાવ થયેલ છે. શા કારણે ડુબ્યા છે અને કઇ રીતે ડુબ્યા છે તેની તપાસ મરીન પોલીસ સ્ટેશન પીપાવાવ ચલાવી રહેલ છે.

(11:56 am IST)