Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અંજારના વરલી ગામે ૩૦૦ ઘેટા બકરાના રોગચાળાથી મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૮ :  કચ્છમાં ભારે વરસાદ પછી પાલતુ પશુઓમાં વકરેલા રોગચાળાએ પશુપાલકોને હેરાનપરેશાન કરી મુકયા છે.

 ભચાઉના ચોબારી ગામે ભેંસોના મોત પછી અંજારના વરલી ગામે દ્યેટા બકરાના મોતે ચિંતા સર્જી છે. અહી વસવાટ કરતા માલધારીઓના ૩૦૦ જેટલા દ્યેટા બકરા અજાણ્યા રોગચાળાને કારણે મોતને ભેટ્યા હોવાનુ જાણવા મળે છે.

  આ અંગે વરલી ગામના સરપંચ બાબુભાઇ બરાડીયા અને અન્ય ગ્રામજનોએ આ પશુઓમાં રોગચાળો ડામવા અને માલધારી વર્ગને આર્થિક સહાય કરવા તંત્રને અપીલ કરી છે.

(11:46 am IST)