Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

થાનમાં સ્મશાનના કર્મચારી મોહનભાઇ ચાવડાને ચાર શખ્સોએ ધોકાથી ધોકાવ્યા

પોતાના ઘરમાં જૂગાર રમવા બેસવા દેવાની ના પાડતાં ભુપત, ભાણો સહિતે માર માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: થાનમાં તરણેતર રોડ પર રહેતાં અને સ્મશાનમાં મૃતદેહોને અગ્નિદાહ અપાવવાનું કામ કરતાં મોહનભાઇ ત્રિકમભાઇ ચાવડા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધને ચાર શખ્સોએ ધોકાથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થાન પોલીસને જાણ કરાઇ હતી.મોહનભાઇના કહેવા મુજબ તેના ઘરમાં ભુપત, ભાણા સહિતને જૂગાર રમાડવાનું ચાલુ કરવું પોતે આવા કામ માટે મકાન ભાડે નહિ આપે તેમ કહેતાં ઝઘડો કરી હુમલો કરાયો હતો. આક્ષેપો અંગે થાન પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)