Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાનાં વધુ ૩૭ કેસની એન્ટ્રીઃ કુલ ર૩૩૮ થયા

જુનાગઢમાં વધુ ૧૮ વ્યકિત સંક્રમિત થઇ

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૮ : જુનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસની એન્ટ્રી થઇ છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનો પગ પેસારો યથાવત રહયો છે. ગુરૂવારે જિલ્લામાં નવા ૩૭ પોઝીટીવ કેસ નોંધાયા હતાં.

જેમા ૧૮ કેસ માત્ર જુનાગઢમાં  સામે આવ્યા છતાં જયારે મેંદરડામાં ૪ કેસ, કેશોદ તથા ભેસાણમાં ત્રણ-ત્રણ કેસ, જુનાગઢ ગ્રામ્ય, માણાવદર તેમજ વિસાવદરમાં બે બે કેસ અને માંગરોળ, માળીયા હાટીના તથા વંથલી ખાતે એક એક કેસ નોંધાયો હતો.

જો કે નવા ૩૭ કેસની સામે ૩૬ દર્દી સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી.

(12:49 pm IST)