Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

માળીયા(મિં) નજીક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઇવર કમકમાટીભર્યું મોત :કલીનર ગંભીર :રાજકોટ ખસેડાયો

મૃતક અને ક્લીનર બંને ભાવનગરના રહેવાસી : કલીનરને મોરબી બાદ વધુ સારવાર મારે રાજકોટ લવાયો

મોરબી:  માળિયા મીયાણા તાલુકામાં માળીયા(મીં) ઓવરબ્રિજ પાસે ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતાં ભાવનગરના રહેવાસી ડ્રાઇવરનું ઘટનાસસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જયારે  ટ્રકમાં કલીનર એવા ભાવનગરના યુવાનને ગંભીર ઇજા સાથે મોરબથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે માળીયા પોલીસે તપાસ શરૂ કરી છે.

   આ અંગેની વિગત મુજબ મોરબી જિલ્લાના માળીયા(મિં) તાલુકામાં માળીયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસે ઢાળ ઉતરતા સંઘના પેટ્રોલ પંપ નજીક ગત રાત્રિના સાડા અગીયારેક વાગયે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક નંબર જીજે ૧૮ એકસ ૮૩૧૬ ના ચાલક ચિરાગદિન અમિભાઈ શેખ રહેવાસી સણોસરા તાલુકો શિહોર જીલ્લો ભાવનગરએ તેના હવાલાનો ટ્રક  પુરઝડપે ચલાવતા આગળ જતા આગળ આઇવા ટ્રક ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૬૪૪૬ ના પાછળના ઠાઠાના ભાગે અથડાવી દીધો હતો જેથી સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક એવા ભાવનગરના રહેવાસી ચિરાગદિન અમિભાઈ શેખ(ઉ.૪૦) નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે ટ્રકમાં કલીનર તરીકે કામ કરતા મનસુખ મેરામભાઈ મકવાણા (ઉં.૩૯) રહે.સણોસરા તા.શિહોર જી.ભાવનગરને ગંભીર ઇજાઓ થતાં મોરબી સારવારમાં ખસેડયો હતો અહીં પ્રાથમિક સારવાર આપી મનસુખ મકવાણાને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો

    માળીયા(મીં) પોલીસે રાજકોટ જઈ નિવેદન લેતા મનસુખ મેરામ મકવાણાએ તેના ટ્રકના ચાલક ચાલક અને અકસ્માતમાં મૃત્યુ પામેલા ચિરાગદિન અમીભાઈ શેખ વિરુદ્ધ માળીયા પોલીસમાં ગુનો નોંધાવતા જણાવ્યુ છેકે મૃતક ચિરાગદિન શેખએ બેદરકારીથી તેના હવાલાનો ટ્રક હંકારીને આગળ જતી આઇવા ટ્રકની પાછળ અથડાવી દીધો હતો જેમાં ચિરાગદિનનું મોત નીપજ્યું છે જ્યારે ફરિયાદી મનસુખ મકવાણાને માથા તથા મોઢાના ભાગે ઇજાઓ થયેલ છે.બનાવની જાણ થતા બીટ જમાદાર એએસઆઇ મહાવીરસિંહ ઝાલા તેમજ રાઇટર જયેશભાઈએ સ્થળ ઉપર જઈને કાર્યવાહી કરી હતી તેમજ આગળની તપાસ એમ.એન.બાલાસરા ચલાવી રહ્યા છે.

મોરબી નવલખી ફાટક નજીક અજાણ્યા વાહન અડફેટે મુકેશભાઈ ચૌહાણનું મોત
મોરબી નવલખી ફાટક નજીક આવેલ યોગી વિદ્યાલય પાસે ગઇકાલ તા.૧૭ ના વહેલી સવારના પાંચ વાગ્યાના અરસામાં એક અકસ્માત બનાવ બન્યો હતો. જે બનાવમાં કોઈ અજાણ્યા વાહનચાલકે મુકેશભાઈ હમીરભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૪૫) ને હડફેટે લેતાં બનેલા ગોઝારા વાહન અકસ્માતમાં મુકેશભાઈ ચૌહાણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ જે બનાવ સંદર્ભે મૃતકના પુત્ર નરેન્દ્ર મુકેશભાઇ ચૌહાણ હાલ રહે. નવલખી ફાટક યોગી સ્કૂલ પાસે ઝૂંપડામાં મૂળ( રહે. રાણપુર ગિરનાર આશ્રમ પાસે, પાળીયાદ રોડ રાણપુર જી.બોટાદ) એ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ સોઢાએ નાશી છુટેલા અજાણ્યા વાહન ચાલકની તપાસ હાથ ધરી છે.

(8:19 pm IST)