Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરી પાસે રેસ્ટોરન્ટમાં આગઃ ગેસના બાટલા પડયા હોવાથી દોડધામ

વઢવાણ, તા. ૧૮ :. સુરેન્દ્રનગર આર.ટી.ઓ. કચેરી પાસે જ આવેલા એક રેસ્ટોરન્ટમાં અગમ્ય કારણોવસાત અચાનક જ આગ લાગવાની ઘટના બનતા આર.ટી.ઓ. કચેરી અને તેની પાસે રહેલા લોકોમાં વાહનોના ચાલકોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આ રેસ્ટોરન્ટમાં ગેસના બાટલા પડયા છે ત્યાં જ આગ લાગવાની ઘટના હાલ બની છે.  સુરેન્દ્રનગર દુધરેજનગર પાલિકાના ફાયર ફાઈટરો હાલમાં ઘટના સ્થળ ઉપર પહોંચીને આગને કાબુમાં લીધી હતી.

(1:16 pm IST)