Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જુનાગઢમાં નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમીતે શહેર ભાજપ દ્વારા રકત દાન કેમ્પ

જુનાગઢઃ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમીતે વોર્ડ નં.૧૨ દિયાજલી વિસ્તારમાં આવેલ ગોલ્ડન પાર્ક ખાતે રકતદાન શિબીરનુ આયોજન કર્યુ હતુ જેનુ દિપ પ્રાગટય કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ કરી આ કેમ્પ ખુલ્લો મુકયો હતો ત્યારે જુનાગઢના પ્રભારી ગોરધનભાઇ ઝડફીયા મેયર ધીરૂભાઇ ગોહેલ ેડમેયર હિમાંશુ પંડ્યા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા પુનિત શર્મા લલિત સુવાગીયા આધાશકિતબેન મજમુદાર ધરમણડાંગર હરેશ પરસાણા યોગી પઢીયાર કિશોર ચોટલીયા પરાગભાઇ ગૌરવ રૂપારેલીયા પી સી ભટ્ટ સહિત ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહી રકતદાન શિબીરમાં જોડાયા હતા ઉપરોકત તસ્વીરમાં દિપપ્રાગટય કરતા જયેશભાઇ રાદડીયા તેમજ રકતદાન કરતા રકતદાતાઓ અને જયેશભાઇ સાથે મેયર તેમજ પુનિતભાઇ શર્મા અને સમગ્ર ટીમ નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:15 pm IST)