Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જુનાગઢ હસનાપુર ડેમની મુલાકાત લેતા ગોરધનભાઇ ઝડફીયા અને મનપાના પદાધિકારીઓ

જુનાગઢ  : જુનાગઢની જીવાદોરી સમાન હસનાપુર ડેમ કે જયાંથી સમગ્ર શહેરને જળ વિતરણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે તેવો આ ડેમ ૬ વર્ષ બાદ ઓવરફલો થતાં આ ડેમની મુલાકાત જુનાગઢના પ્રભારી ગોરધનભાઇ ઝડફીયાએ લીધી હતી, ત્યારે તેમની સાથે મહાનગરપાલીકાના મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડયા, સ્ટેન્ડીૅગ કમીટીના ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા તેમજ કોર્પોરેટર સંજયભાઇ કોરડીયા, આદ્યાશકિતબેન મજમુદાર, જયોતીબેન વાછાણી, ગોપાલભાઇ રાખોલીયા, કિશોરભાઇ ચોટલીયા, પલ્લવીબેન ઠાકર, યોગી પઢીયાર સહીતના સાથે જોડાયા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા. ઉપરોકત તસ્વીરમાં હસનાપુર ડેમ અને ડેમ સાઇટ પર ગોરધનભાઇ ઝડફીયા અને મનપાના પદાધિકારીઓ તથા કોર્પોરેટરોની ટીમ સાથે નજરે પડેછે.

(1:14 pm IST)