Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ખામટા નજીક યુટીલીટી પલ્ટી જતાં જીરૂ વેંચવા રાજકોટ આવી રહેલા જુવાનપુરના ખેડૂતોને ઇજા

છગનભાઇ, પરબતભાઇ, દેવરાજભાઇ અને દેવશીભાઇને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૮: પડધરીના ખામટા નજીક રાતે યુટીલીટી પલ્ટી ખાઇ જતાં દ્વારકાના કલ્યાણપુરના જુવાનપુર ગામના ખેડૂતોને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બધા રાજકોટ યાર્ડમાં જીરૂ વેંચવા આવી રહ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ રાત્રીના ખામટા નજીક યુટીલીટી પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા દેવશીભાઇ જેતાભાઇ મુછડીયા (ઉ.૪૫), દેવરાજભાઇ રાજાભાઇ ડાભી (ઉ.૩૮), પરબતભાઇ ભીમાભાઇ ખાંડાધાર (ઉ.૩૭) અને છગનભાઇ વિરજીભાઇ નકુમ (ઉ.૪૬)ને ઇજા થતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. આ તમામ ખેડૂતો રાજકોટ યાર્ડમાં જીરૂ વેંચવા આવી રહ્યા હતાં. ચાલકે કોઇપણ કારણોસર કાબૂ ગુમાવતાં ગાડી પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને અક્ષયભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી.

(11:56 am IST)