Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વાંકાનેરમાં મચ્છુ નદીના નવા નીરના વધામણા

 વાંકાનેર : મચ્છુ નદીના બેઠા પુલ ખાતે નદીના ઝરણામાં વાંકાનેરના નાયબ કલેકટરશ્રી વસાવા, વાંકાનરના યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા, અમરશીભાઇ મઢવી, પરેશભાઇ મઢવી, ગોપાલભાઇ રાજગોર, ચંદુપુરના સરપંચ સાથે ભાટીયા વિસ્તારની મહિલાઓ બાળાઓ તથા બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહી. ૧૦૧ દિવા સાથે નારીયેલ અને ચુંદડીને પધરાવી નર્મદા નીરને આવકારી મચ્છુ-૧માં આ નીર કાયમ માટે વહે તેવી લોકોને હૈયા ધારણા અધિકારીઓએ આપેલ હતી. આ પ્રસંગના કલેકટર સ્ટાફ મામલતદાર સ્ટાફ તથા તમામ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓએ હાજર રહી નર્મદાના નીરને ઢોલત્રાસા સાથે વધાવ્યા હતા. (તસ્વીર - અહેવાલ : મહમદ રાઠોડ, વાંકાનેર)

(11:56 am IST)