Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વાંકાનેરમાં ૧૦૧ દિવડા પ્રગટાવી નર્મદે સર્વદે કાર્યક્રમ

 વાંકાનેરઃ નર્મદા નીરના વધામણા કરવા ભાટીયા સોસાયટી ખાતે મહાદેવના મંદિરેથી ૧૦૧ દીવડા, શ્રીફળ, ચુંદડી અને ફુલની છોળો સાથે વાંકાનેરના નાયબ કલેકટરશ્રી વસાવાની અધ્યક્ષતામાં અને યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાની રાહબરીમાં વાંકાનેર શહેર અને તાલુકાના આગેવાનો સાથે નાની નાની બાળાઓ તથા પ્રબુધ્ધ નાગરિકોની હાજરીમાં નર્મદા નીરને વધાવવા મચ્છુ નદીના પાણીના ઝરણે પહોંચી ત્યાં ઉપરોકત આગેવાનોએ મચ્છુ નદીના પાણીમાં શ્રીફળ અને ચુંદડી સાથે ૧૦૧ દીવડાઓ પ્રગટાવી પાણીના ઝરણામાં વહેતા કરી પુજાપાઠ સાથે નર્મદે-સર્વેદના સુત્રોચ્ચારો કરીને નર્મદા નદીને આવકારવામાં આવેલ. બાદમાં ભાટીયા સોસાયટી, મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ પ્રસંગે શારદા સ્કૂલના સંયોજક પરેશભાઇ મઢવી, અમિતભાઇ મઢવી, અમરશી મઢવી, ચંદ્રપુરના સરપંચ, નાયબ મામલતદાર પટેલ, ના. મામલતદાર હર્ષદ પરમાર, પુરવઠા મામલતદાર ઢુંઢ સા. ફોરેસ્ટ ડિપા.ના અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભાટીયા સોસાયટીના ભાઇઓ તથા બહેનો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહી નર્મદાના નીરને વધાવ્યા હતા. (તસ્વીર-અહેવાલ-મહમદ રાઠોડ-વાંકાનેર)

(11:47 am IST)