Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ભાવનગરમાં ઉછીના નાણાના મામલે દુકાને જઇ વેપારી પર છરીથી હુમલો

 ભાવનગર, તા. ૧૮ : શહેરના ઘોઘા જકાતનાકા બેઠેલા પુલ પાસે રહેતા અમિતભાઇ ભુપતભાઇ લાઠીયાએ નવાપરામાં રહેતા કાળુ ડેરૈયા અને એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે તેણે અમિત ઉર્ફે કાળુ ડૈરેયા પાસેથી ઉછીના લીધેલા નાણાની બન્ને શખ્સોએ વાઘાવાડી રોડ આવેલ ગારમેન્ટની દુકાને આવી ગાળો આપી ઉશ્કેરાઇ જઇ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતાં. આ અંગે એ-ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

દાઝી જતા મોત

કુંભારવાડા વિસ્તારમાં રહેતી સેજલબેન વિનોદભાઇ રાઠોડ ઉ.વ.૧૬ પોતાના ઘેર પ્રાયમસમાં કેરોસીન ભરતી વેળાએ અચાનક ભડકો થતાં સેજલબેન ગંભીર રીતે દાઝી જતા અત્રેની સર ટી હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.(૮.૭)

(11:43 am IST)