Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

શ્રી સોમનાથ મહાદેવને નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે વિશેષ પૂજન -અર્ચન

 વેરાવળ-પ્રભાસ પાટણ,તા.૧૮: શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી માન.નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસ નિમિતે શ્રી સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર ના હસ્તે મહાપુજાકરવામાં આવેલ,તેમજદીર્ધ આયુષ્ય માટે મંત્રજાપ વિગેરે કરવામાં આવેલ.આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી,તીર્થપુરોહિત પણ આ પુજામાં જોડાયા. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી,ટ્રસ્ટી સેક્રેટરી શ્રી તથા સર્વે ટ્રસ્ટીશ્રીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી માન. નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.સાયં સમયે શ્રી સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રજવલિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલા.  સાંસદ ચુનિભાઇ ગોહેલ દ્વારા  વડાપ્રધાન શ્રી ના જન્મદિને શ્રી સોમનાથ મંદિરે સવાલક્ષ મહામૃત્યુંજય જાપ કરાવવામાં અવ્યા હતા.(તસવીર, અહેવાલ - દિપક કકકડ-દેવાભાઈ રાઠોડ .પ્રભાસ પાટણ)

(11:42 am IST)