Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વિરમગામમાં પાયાની સુવિધા મામલે યુવાનો અને ગૌશાળાના પ્રશ્ને મહંતના આમરણાંત ઉપવાસ :તમામ વેપારી એસોનો ટેકો

 

વિરમગામ શહેરના વિવિઘ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર સહિત ગંદકી સહિતના પ્રશ્ને આમરણાંત ઉપવાસ શરૂ કરાયા છે. જેમાં યુવા શક્તિ ગ્રૂપ યુવાનોએ તાલુકા સેવા સદન કચેરી બહાર આમરણાંત શરૂ કર્યા છે. જયારે વિરમગામના ઐતિહાસિક રામમહેલ મંદિર ગૌશાળાના પ્રશ્નને લઇને મહંત રામકુમારદાસજી પણ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. જેને વિરમગામના તમામ વેપારી એસોસિએશને પણ ઉપવાસ આંદોલનનું સમર્થન કર્યુ છે.

(11:55 pm IST)