Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ભાવનગરમાં કમરના દુખાવાથી કંટાળીને ૬૧ વર્ષના કાળીબેન બાબરીયાનો આપઘાત

ભાવનગર તા.૧૮: ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંધોળા ગામે રહેતા કાળીબેન જીવાભાઇ બાબરીયા ઉ.વ.૬૧ને છેલ્લા એકાદ વર્ષથી કમરનાં દુખાવાની બીમારી હોય દા ચાલુ હતી. દવા છતાં દુખાવો ઓછો ન થતો હોય કંટાળી જઇ કાળીબેને જાતે કેરોસીન છાંટી સળગી જઇ આત્મહત્યા વહોરી લીધી હતી આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(2:40 pm IST)