Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

મોરબી-ચોટીલા ઇન્ટરસિટી બસને અકસ્માત નડયો : ૧૭ને ઇજા

ચોટીલા, તા. ૧૮ : ચોટીલાથી ૧પ કિ.મી. દૂર આવેલ બામણબોર પોલીસ મથકની હદમાં મોરબી-ચોટીલા બસ મીની બસ અને ટ્રકો વચ્ચેના ત્રિપલ અકસ્માતની ઘટના બનતા આ અકસ્માતમાં બસમાં મુસાફરીનું મોત નિપજયું હતું.

માહિતી મુજબમાં ચોટીલા અને બામણબોર વચ્ચે મોરબીથી ચોટીલા આવતી મીની લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માત સર્જાવા પામ્યો છે. જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળ ઉપર ગંભીર ઇજાની હાલતમાં મોત નિપજેલ છે. જયારે ૧૭થી વધુ મુસાફરો ઘાયલ થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે.

(1:30 pm IST)