Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પોરબંદરમાં રામદેવજી મહાપ્રભુ પ્રાગટય મહોત્સવઃ વિજયભાઇ આવશે

મુખ્યમંત્રીની હાજરીમાં ગુરૂવારે યોજાનાર ખારવા જ્ઞાતિ આયોજીત કાર્યક્રમની તૈયારીઓઃ મહાપુજા સ્વાગત અને સન્માન કાર્યક્રમ

પોરબંદર, તા., ૧૮: સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ઇષ્ટદેવશ્રી રામદેવજી મહાપ્રભુના પ્રાગટય મહોત્સવમાં તા.ર૦મીએ ગુરૂવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હાજર રહેશે. ચોપાટી ખાતે યોજાનાર પ્રાગટય મહોત્સવની તડામાર તૈયારી થઇ રહી છે. મુખ્યમંત્રીને આવકારવા સાગરખેડુઓમાં ઉત્સાહ જોવા મળે છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે. મુખ્યમંત્રી મહાપુજાના સમયે હાજર રહેશે.

પોરબંદર ખારવા સમાજ આયોજીત પ્રાગટ્ય મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી આવનાર હોય તેમનાં કાર્યક્રમનાં આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડ્યાનાં અધ્યક્ષસ્થાને સેવાસદન-૧ પોરબંદર ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરની ટ્રાફીક વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, સ્વાગત સન્માન તેમજ સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે આયોજીત કરવા સબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

         જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડાશ્રી પાર્થરાજસિંહ ગોહિલ, અધિક કલેકટરશ્રી મહેશ જોષી, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, જિલ્લા માહિતી અધિકારશ્રી અર્જૂન પરમાર, માર્ગ-મકાન, નગરપાલિકા, પોર્ટ ફીશરીઝ સહિતનાં વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં તમામ વિભાગને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી. બેઠકમાં ૧૨ ગામ ખારવા સમાજના પ્રમુખશ્રી પ્રેમજીભાઇ ખુદાઇ, બોટ એસો.પ્રમુખ જાદવજીભાઇ પોસતરીયા, શ્રી ખીમજીભાઇ મોતીવરસ, અગ્રણી વિક્રમભાઇ ઓડેદરા, શ્રી અશોક મોઢા સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:30 pm IST)