Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જુનાગઢ એસટીના કર્મચારીઓનો નિવૃતી વિદાય સમારોહ સંગઠનના હોદ્દેદારોની વરણી - કાર્યક્રમ સંપન્ન

 જુનાગઢ બિલનાથ મહાદેવના સાનિધ્યમાં સમસ્ત બ્રહ્મસમાજ તથા સમસ્ત સાધુ સમાજ એસટી કર્મચારી પારીવારિક સંગઠન દ્વારા નિવૃત થતા પ્રમુખશ્રી તથા અન્ય કર્મચારીઓનો નિવૃતી વિદાય સમારોહ ધારાસભ્ય ભીખાભાઇ જોષીના અધ્યક્ષસ્થાને  યોજાયો હતો જેમાં અતિથી વિશેષ તરીકે જુનાગઢ એસ.ટી.ના વિભાગીય નિયામક રણદિપસિંહ વાળા તેમજ મુખ્ય  મહેમાન તરીકે જુનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પરેશભાઇ જોષી શ્રીમતી આરતીબેન જોષી બટુક બાપુ હસુભાઇ જોષી રૂપલબેન લખલાણી તેમજ એસટીના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. એસટી કર્મચારી મંડળના ચેરમેન તરીકે દિપકભાઇ કે મહેતા અને પ્રમુખ તરીકે ગજેન્દ્રબાપુની વરણી કરવામાં આવી હતી ઉપરોકત તસ્વીરમાં કર્મચારીઓને નિવૃતી શુભેચ્છા પાઠવી ઉદ્દબોધન કરતા ધારાસભ્ય ભીખાભાઇ જોષી અને મંચ પર બિરાજેલ મહાનુભવો તેમજ દિપ પ્રાગટય કરતા એસટીના વિભાગીય નિયામક રણદિપસિંહ વાળા અને દિપકભાઇ મહેતાનું સાલ ઓઢાડી સન્માન કરતા ભીખાભાઇ જોષી તેમજ ભુપતભાઇ જોષીને નિવૃતી વિદાય આપી સન્માનિત કરતા બટુકબાપુ નજરે પડે છે. કાર્યક્રમનું સંચાલન પંકજભાઇ પંડયાએ કર્યું હતુ અને આભારવિધી જનકભાઇ દાણિધારીયાએ કરી હતી. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:28 pm IST)