Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વ્‍હોરા સમાજ દ્વારા ગુરૂવારે આશુરા આખો દિવસ ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ

જસદણ તા. ૧૮ :.. મુસ્‍લિમ સમાજમાં હાલ શોકના પર્વ મોહર્રમ માસના દિવસો ચાલી રહ્યા છે. ત્‍યારે દાઉદી વ્‍હોરા સમાજમાં તા. ર૦ ને ગુરૂવારેના રોજ આશુરા પર્વ મનાવશે. આ સંદર્ભે રાજકોટ - જસદણ સહિત દુનિયાભર ના દાઉદી વ્‍હોરા બિરાદરો સવારથી પોતાના ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખી રોઝૂ પાળી ૧૪૦૦ વર્ષ પહેલા અતિ ક્રુર જુલ્‍મી શાસક યઝાદ સામે સચ્‍ચાઇનો રણકો ઉઠાવનાર જાંબાઝ હઝરત ઇમામ હુસૈન (અ.સ.) અને તેમના ૭ર જેટલા સગા-સાથીદારોએ ભવ્‍ય કુરબાની આપી. તેમને યાદ કરી હૃદય ભીંજવી અંજલી અર્પણ કરશે. આ તકે વિશ્વ સહિત સૌરાષ્‍ટ્રભરની વ્‍હોરા મસ્‍જિદોમાં હૈયાફાટ રૂદન અને માતમનો કોહરામ મચી જશે.

(1:32 pm IST)