Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પ્રભાસપાટણ ઘેડીયા કોળી સમાજ દ્વારા ગુરૂવારે રામદેવજી મહારાજની શોભાયાત્રા-ધ્‍વજારોહણ

પ્રભાસપાટણ, તા. ૧૮ : પ્રભાસપાટણ મુકામે ઘેડીયા કોળી સમાજ મોટા કોળીવાડામાં તા. ૨૦ને ગુરૂવારે રામદેવપીર મહારાજની ભવ્‍ય શોભાયાત્રાનું  આયોજન   કરવામાં આવેલ છે.

શોભાયાત્રા સવારના ૧૧ કલાકથી રામદેવપીરના મંદિરેથી બેન્‍ડવાજાની રમઝટ સાથે કાઢવામાં આવશે અને રાસ-ગરબા સહિતના કાર્યક્રમો વડલાચોક, પોલીસ ચોકી, મેઈન બજાર, દરજીવાડા સહિતના વિસ્‍તારોમાં ફરી અને સાંજનાં પૂર્ણ થશે. શોભાયાત્રાના રૂટમાં આવતા તમામ મંદિરોમાં ધ્‍વજારોહણ તેમજ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રામદેવજી મહારાજના મંદિરે ધ્‍વજારોહણ કરવામાં આવશે. શોભાયાત્રાના રૂટમાં ઠેર ઠેર ચા-પાણી, સરબત અને નાસ્‍તાના સ્‍ટોલ પણ જુદા જુદા મંડળો અને સેવાભાવી લોકો દ્વારા રાખવામાં આવશે.

રામદેવપીરના મંદિરે ધ્‍વજારોહણ બાદ પ્રસાદી આપવામાં આવશે. જેમાં સમાજના ૨૦ હજાર જેટલા લોકો આ મહાપ્રસાદનો લાભ લેશે. પ્રસાદીનો સમય સાંજે ૪ થી ૭ કલાક સુધી રહેશે. સ્‍થળ રામદેવપીરનાં મંદિરે મોટા કોળીવાડા-પ્રભાસપાટણ. આ સમગ્ર કાર્યક્રમના આયોજક શ્રી ઘેડીયા કોળી સમાજ મોટા કોળીવાડા. આ રામદેવજી મહારાજની શોભાયાત્રા અને મહાપ્રસાદનો લાભ લેવા ઘેડીયા કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈની યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

(9:59 am IST)