Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા આવતીકાલે મોરબીમાં જન્માષ્ટમી શોભાયાત્રામાં આપશે હાજરી.

મોરબી : રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ  મેરજા આવતીકલે તારીખ 19 ઓગસ્ટ ને શુક્રવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવશે અને શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

તારીખ 19 ઓગસ્ટ ને શુક્રવારે સવારે 8 કલાકે જડેશ્વર મંદિરખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત શોભાયાત્રામાં હાજરી આપશે.. ત્યારબાદ સવારે 9-30 વાગ્યે સામાકાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કરશે. ત્યારબાદ 11 વાગ્યે સરકિટ હાઉસ ખાતે જનસંપર્ક કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 1-30 કલાકે કુંભારીયા ગામે સરપંચના માતૃશ્રીનું અવસાન થતાં સાંત્વના આપવા જશે.

(8:43 pm IST)