Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જુનાગઢમાં પ્રબોધ સ્‍વામીજીના પ્રાગટય દિવસની ઉજવણી સત્‍સંગ સભા ભોજન પ્રસાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૮:  પૂ. હરીપ્રસાદ સ્‍વામી મહારાજની અધ્‍યાત્‍મ પરંપરાના વાહક એવા પૂ. પ્રબોધસ્‍વામીશ્રી ના ૬૯માં પ્રાગટય દિવસની ઉજવણી ગઇકાલે સાંજે ૭-૧પ વાગ્‍યે શિવમ પાર્ટી પ્‍લોટ બંસીધર સોસાયટી ગિરીરાજ મેઇન રોડ જુનાગઢ ખાતે કરવામાં આવેલ હતી.

જેમાં પ્રાદેશીક સંતવર્ય પૂ. સુયોગસ્‍વામીજીના સાનિધ્‍યમાં રાત્રે ૮-૪પ કલાકે સત્‍સંગ સભામાં પૂ. સત્‍યસ્‍વરૂપ સ્‍વામીજી તેમજ શૈલેષભાઇ દવે ઉજવલભાઇ વાછાણી હરેશભાઇ લાખાણી તેમજ સર્વે પ્રબોધમ સત્‍સંગ મંડળ સાથે મળી આ પ્રાગટય દિવસની ઉજવણી કરેલ તેમ હાર્દિકભાઇ બાબરીયાએ જણાવ્‍યું છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:32 pm IST)