Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

તલાટી મંત્રીઓનાં પ્રશ્નોનો ઉકેલ લાવવા સાવરકુંડલાના ધારાસભ્‍ય પ્રતાપભાઇ દૂધાતની માંગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૮ :.. સાવરકુંડલાના કોંગ્રેસનાં ધારાસભ્‍ય પ્રતાપભાઇ દૂધાતે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને પંચાયત વિભાગ હસ્‍તકના તલાટી કમ મંત્રીઓના  પડતર પ્રશ્‍નોનો સત્‍વરે હકારાત્‍મક નિકાલ લાવીને અચોકકસ મુદતની હડતાલ પુર્ણ કરવા માંગ કરી છે.

પ્રતાપભાઇ દૂધાતે વધુમાં જણાવ્‍યું છે કે,  ગુજરાત રાજયના તલાટી કમ મંત્રી પોતાની પડતર પ્રશ્નો માટે તા. ર-૮-ર૦રર થી અચોકકસ હડતાલ પર ગયા છે. જેથી હાલમાં ગામના કામો અને યોજનાના લાભ લેવા માટે લોકોને ખુબ જ મુશ્‍કેલીઓ અનુભવી રહ્યા છે. જેથી રાજયના તલાટી કમ મંત્રીના જે પ્રશ્નો પડતર છે તેનો નિકાલ તત્‍કાલ કરવા આપ સાહેબને ખાસ વિનંતી અને ઘણા સમયથી તેઓને પ્રમોશન, પગારધોરણ, કામગીરી વગેરેમાં અંગેના પ્રશ્નો ઘણા લાંબા સમયથી પડતર રહેલ છે. જેનો સત્‍વરે હકારાત્‍મક નિકાલ લાવવા પ્રતાપભાઇ દૂધાતે માંગ કરી છે.

(1:48 pm IST)