Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સાવરકુંડલા કાઠી વિદ્યાર્થી ભવનના પટાંગણમાં પેવીંગ બ્‍લોક રોડ માટે સાવરકુંડલાના ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાતના હસ્‍તે ખાતમુહુર્ત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૮ : દરબારશ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિધાર્થી ભવન સાવરકુંડલા ખાતે કાઠી વિધાર્થી ભવનના પટાંગણમાં પેવીંગ બ્‍લોક નાખવા માટે સાવરકુંડલાના ધારાસભ્‍ય પ્રતાપભાઈᅠ દુધાતે ગ્રાન્‍ટ આપતા ખાતમુહુર્ત ધારાસભ્‍યના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ તકે સમગ્ર કાઠી સમાજ અને કાઠી વિધાર્થી ભવનના ટ્રસ્‍ટીમંડળ અને કાર્યવાહી કમીટી દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યુંᅠ

ખાતમુહુર્ત પ્રસંગે કાઠી વિદ્યાર્થી ભવનનાં ટ્રસ્‍ટી અને કમિટી દ્વારા ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત અને સાથે ઉપસ્‍થિત કોંગ્રેસ ના પદાધિકારીઓ અને નગરપાલિકાના પદાધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું.

તેમજ રાજુભાઈ દોશી, મનુભાઈ ડાવરા તાલુકા કોંગ્રેસ સમિતિ , હસુભાઈ સૂચક,કાર્યકારી પ્રમુખ શહેર કોંગ્રેસᅠ કનુભાઈ ડોડીયા શહેર કોંગ્રેસ સમિતિᅠ હાર્દિકભાઈ કાનાણી પૂર્વ ઉપ પ્રમુખ જીલ્લા પંચાયત , મહેશભાઈ જયાણી, વિપુલભાઈ ઉનાવા પુર્વ પ્રમુખ નગરપાલિકા, અશ્વિનભાઈ ધામેલીયા, ગોરધનભાઈ રાદડિયા, કુમન રૈયાણી યુથ કોગ્નેસ પ્રમુખ, કિશોરભાઈ બુહા, નિમાવત વગેરે મહેમાનોનુ સન્‍માન કરવામાં આવ્‍યું.

આ તકે કાઠી વિદ્યાર્થીભવનમા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓમા અશોકભાઈ ખુમાણ ઠવી, દાદભાઈ ધાધલ, મંગળુભાઈ ખુમાણ, શિવરાજભાઇ ખુમાણ હાથસણી, જોરૂભાઈ વનરા અમરેલી, ઉમેદભાઈ ખાચર અમરેલી, ભુપેનન્‍દ્રભાઈ ખુમાણ પૂર્વ સરપંચ શ્રી જાબાળ, સરપંચશ્રીઓ શિવરાજભાઇ મૈત્રા પીયાવા, જયદીપભાઈ ખુમાણ જાબાળ, ભરતભાઈ ગીગૈયા વીજપડી, જગુભાઈ ચાંદુ લુવારા, નરેશભાઈ ખુમાણ સેંજળ, પ્રતાપભાઈ ખુમાણ અમૃતવેલ, લાલાભાઈ ખુમાણ ખડકલા, મહેશભાઈ જેબલિયા શેલણા, પ્રતાપભાઈ પટગીર ઘોબા, ભાભલુભાઇ રામગઢ, તેમજ અગ્રણીઓમા જીલ્લા પંચાયત પૂર્વ ચેરમેન ભરતભાઈ ગીડા, એન.એસ.યુ. આઈ. પ્રદેશ મહામંત્રી કેતનભાઈ ખુમાણ, વી.સી.ઈ. મંડળ પ્રમુખ શિવરાજભાઇ ખુમાણ, નગરપાલિકા પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ કોટીલા તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા જસુભાઇ ખુમાણ, નગરપાલિકા વિપક્ષ નેતા અશોકભાઈ ખુમાણ, નગરપાલિકા સદસ્‍ય અજયભાઈ ખુમાણ પૂર્વ સરપંચ શ્રીઓ, કાળુભાઈ પટગીર મેરિયાણા ધર્મેન્‍દ્રભાઈ ખુમાણ ભમોદરા, પ્રતાપભાઈ ખુમાણ, ખડકાળા હકુભાઈ દાધીયા, મહેશભાઈ ખુમાણ સેંજળ,ᅠ યોગેશભાઈ ખુમાણ ધાર, સાથે અગ્રણીઓમા કનુભાઈ ખુમાણ અમૃતવેલ, દાનુભાઈ ખુમાણ અંકોલડા, અમરૂભાઈ સાવરકુંડલા, ચંપુભાઈ ધાધલ, પ્રકાશભાઈ સેંજળ, આ તકે આશીર્વાદ આપવા ચાંપરાજબાપુની જગ્‍યાના મહંત બાભબાઈબાપુ અને મોમાઈ મંદિર શ્રી કાનુબાપુ હાજર રહ્યા હતા.

(12:57 pm IST)