Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જસદણમાં વીએચપી-બજરંગદળ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૮: જસદણ વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળના સંયુકત ઉપક્રમે જસદણમાં ભગવાન શ્રી કૃષ્‍ણનાં જન્‍મોત્‍સવની ધામધુમ ઉજવણી કરવાનુ આયોજન કરેલ છે .ᅠ તારીખ ૧૯-૮ ને શુક્રવારેᅠ જન્‍માષ્ટમી નાં દિવસે ભવ્‍ય કાર્યક્રમ યોજાશે.ᅠ મહાઆરતી રાત્રે ૧૨-૦૦ , કલાકે , શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવના વધામણા (પારણું) ઝુલો નંદોત્‍સવ અને સાથે મટકીફોડની રેલમ સહિતના ધાર્મિક કાર્યક્રમોᅠ ટાવર ચોક શ્રી વાજસુરેશ્વર મહાદેવ મંદિરના આંગણે યોજાશે. આ કાર્યક્રમ માં ઉપસ્‍થિત રહેવા
વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ જસદણ શહેર અને તાલુકા તરફથી સર્વેને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

 

(10:44 am IST)