Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ટંકારામાં વરસાદથી ચિંતીત ગ્રામજનો દ્વારા રામધુન યોજાઇ

ટંકારા તા.૧૮: ટંકારા તાલુકામાં આ વર્ષે મેઘરાજાનું આગમન થયેલ નથી. ખેડુતોએ ભગવાન ભરોસે ખેતરોમાં બિયારણ, ખાતર વાવી દીધેલ છે. જે નિષ્ફળ જઇ રહેલ છે. ટંકારા તાલુકામાં વરસાદ ખેંચાતા લોકોમાં ચિંતાના વાદળો છવાયેલા છે. લોકો સવાર-સાંજ આભને નિરખી રહેલ છે અને આશા કરે છે કે આજ મારો વાલો આવશે.

ટંકારા તાલુકાના ખેડૂતોમાં ચિંતાની ભારેલાગણી છે હવે વરસાદ કયારે આવશે એજ દરેકના મોઢે પ્રશ્ન છે.

ટંકારામાં આવેલ ત્રણ હાટડી રામજી મંદિર ખાતે મેઘરાજાનેમનાવવા ગુરૂપૂર્ણિમાંએ ચોવીસ કલાકની અખંડ રામધુન યોજાયેલ હતી.

(2:52 pm IST)