Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

હાપા જલારામ મંદીરે ગુરૂપૂર્ણીમાં

જામનગરઃ હાપા જલારામ મંદીરના માનદ મંત્રી શ્રી કિશોરભાઇ પી. મજીઠીયા દ્વારા હાપા જલારામ મંદીરે ગુરૂપૂર્ણીમાં ઉજવણીનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવેલ.  જલારામબાપા ગુરૂશ્રી ભોજલરામબાપાના પુજા પાઠ આરતી ફુલહાર કરવામાં આવેલ. ત્યારબાદ મંદીરે ધ્વજાનું પુજન કરી ધ્વજારોહણ કરવામાં આવેલ. કિશોરભાઇ પી. મજીઠીયા પરીવાર તેમજ જલારામ ભકતો સદેવંત આર. મકવાણા, અતુલભાઇ ભીંડી, રાજુભાઇ ગોરી, કાન્તીલાલ મકવાણા, રાજભા જાડેજા, મનીષભાઇ રાયચા, રાજુભાઇ રાડીયા, અજય ત્રીવેદી તેમજ ઉપસ્થિત જલારામ ભકતોને મંદીરના પુજારી જતીનભાઇ બારોટ દ્વારા ધ્વજાનું પુજન કરવામાં આવેલ તે તસ્વીર.

(2:19 pm IST)