Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મોરબી કુબેરનાથ મંદિરે ધજારોહણ, લોટી ઉત્સવ યોજાયો

મોરબીઃ સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજના પ્રમુખ અને કુબેરનાથ મંદિરના મહંત ગુલાબગીરી તેમજ તેમના ધર્મપત્ની પારૂલબેને પોતાના પરિવારજનો ભાઇ-ભાઇ-સેવક સમુદાઇ સાથે  પ્રભુકૃપા, વડલોના આશીર્વાદથી ચારધામ યાત્રા પૂર્ણ કર્યા બાદ, ઇસ્ટદેવ શ્રી કુબેરનાથ દાદાની કૃપાથી ગત રવિવારે આ મહંત પરિવાર દ્વારા શ્રી કુબેરનાથ દાદાને ધજા ચઢાવી, ભવ્ય રીતે લોટીઉત્સવનું આયોજન કર્યુ હતું. જેનો સગા-સબંધી, બહોળી સંખ્યામાં સેવકગણે લાભ લીધો હતો. મહંત પરિવાર દ્વારા સમુહ મહાપ્રસાદનું ધામધુમથી ઉજવ્યો હતો. (તસ્વીરઃ અહેવાલ, પ્રવિણ વ્યાસ-મોરબી)

(1:23 pm IST)