Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

જેતપુર નંદ ગૌશાળા દ્વારા મેઘરાજાને રીઝવવા ૩૦૦ કિલો લાડુ ગૌમાતા-શ્વાનને અર્પણ

જેતપુર, તા. ૧૮ :. અમરનગર રોડ પર આવેલ નંદ ગૌશાળાના સભ્યો દ્વારા સેવા કાર્યો કરાતા હોય છે. દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોય થોડા દિવસો પહેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં અખંડ રામધૂનનું આયોજન થયેલ. ગઈકાલે આ સભ્યો દ્વારા મેઘરાજાને રીઝવવા ગાય-કૂતરા માટે ૩૦૦ કિલો લાડવા બનાવવામાં આવેલ હતા.

(1:20 pm IST)