Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

જેતપુરના પાંચપીપળામાં ૧૬ વર્ષની વૈશાખીને અગનજ્વાળા ભરખી ગઇ

રાજકોટ તા. ૧૮: જેતપુરના પાંચપીપળા ગામે રહેતી વૈશાખી રમેશભાઇ ગુજરાતી (ખાંટ) (ઉ.૧૬) ૧૬મીએ બપોરે દાઝી જતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીનું ગત રાતે મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

વૈશાખી ત્રણ બહેનમાં વચેટ હતી. તેના માતા હયાત નથી. પિતા રમેશભાઇ હીરા ઘસવાનું કામ કરે છે. વૈશાખી ચુલા પર રસોઇ બનાવી રહી હતી ત્યારે ઉપરથી કેરોસીનની બોટલ પડતાં ભડકો થતાં દાઝી ગયાનું પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું. જેતપુર પોલીસ વધુ તપાસ કરે છે.

(11:42 am IST)