Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ખીરસરા સ્વામીનારાયણ ગુરૂકુળમાં ગુરૂપુર્ણિમાં

જામકંડોરણાઃ સ્વામીનારાયણ ગુરૂકુળ-ખીરસરા તથા સ્વામીનારાયણ કન્યા ગુરૂકુળ - ટીંબડી દ્વારા ચાર હજાર ભકતજનોના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવપુજન, સત્સંગ પ્રવચન, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ગુરૂપૂજનોત્સ્વ સહિત કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ધો.૧૦ અને ધો.૧રની પરિક્ષામાં સ્કુલ અનેકેન્દ્રમાં પ્રથમ નંબર મેળવેલ તેજસ્વી તારલાઓને ભાલાણી પરિવારના સૌજન્યથી રૂપિયા પચાસ હજારના સુવર્ણચંદ્રક અને સિલ્વર ચંદ્રકથી તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઇ વ્યાસ તથા વિ.અધિકારી સંજયભાઇ સુવાના હસ્તે સન્માનિત કરવામાં આવેલ આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી, સ્વામીએ આશિર્વાદ આપતા જણાવેલ આ બાળકો એમના જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને માતા-પિતાની સેવા કરી નામ રોશન કરે તેવા આશિર્વાદ પાઠવ્યા હતા. ગુરૂપુર્ણિમાં ઉજવણીની તસ્વીરો (તસ્વીરઃ મનસુખભાઇ સી.બાલધા, જામકંડોરણા)

(11:33 am IST)