Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વાંકાનેરથી કચ્છ જવા માટે નવો એસ.ટી. રૂટ શરૂ કરાતા સ્વાગત

વાંકાનેર તા.૧૮ : નેશનલ હાઇવે પર કચ્છ તરફની નવી શરૂ થયેલ નલીયા-સાંણગપુર એસ.ટી.બસનું વાંકાનેર ખાતે મુળ કચ્છ વિસ્તારના અને હાલમાં વાંકાનેર સ્થાય થયેલી રાજગોર બ્રાહ્મણ સમાજ અને અન્ય મુસાફર સમુદાયે બસને હારતોરા કરી મોઢા મીઠા કરાવ્યા હતા.

કચ્છ તરફ જવા કે પ્રસિદ્ધ એવા સાણંગપુર ગામે જવા એક પણ સીધી બસ નોહતી ત્યારે કચ્છના નલીયા ડેપો દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ આ નવી બસ નલીયા-સાણંગપુર બસ નલીયાથી ઉપડી વાયા ભુજ-અંજાર-ભચાઉ-મોરબી-વાંકાનેર,ચોટીલા થઇને સાણંગપુર જતી આ બસથી કચ્છ વિસ્તારના પેસેનજરો ઉપરાંત યાત્રીકો પણ એક સારી સેવા પ્રાપ્તી સમી આ બસને મોરબી-વાંકાનેર વિગેરે ગામના હાઇવે ઉપર પેસેન્જરોને લેવા મુકવાની સેવા છ.ે

ત્યારે આ બસને વાંકાનેર એસ.ટી.ડેપો સુધી લાવવામાં આવે તો શહેરના અંદર અને એસ.ટી.ડેપો નજીક રહેતા પેસેન્જરોને લાભ ઉપરાંત હાઇવે પર જવાનો ખર્ચ બચી શકે આ માટે વાંકાનેર રાજગોર સમાજના શૈલેશભાઇ મઢવી દ્વારા એસ.ટી.ડીવીઝનલ વિગેરેને પત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે.

(11:25 am IST)