Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

જૂનાગઢમાં પ્રેમજાળમાં ફસાવી સગીરા પર ૭ માસમાં ૧૦ વખત દુષ્કર્મ

અમિત રાઠોડ સામે ભોગ બનનારની પોલીસ ફરિયાદ

જૂનાગઢ તા. ૧૮: જૂનાગઢમાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી બાદમાં નરાધમે તેણી ઉપર ૧૦ વખત બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ  થતા ચકચાર મચી ગઇ  છે.  આ અંગેની વિગતો એવી છે કે જૂનાગઢમાં જગમાલ ચોક પાસેના વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક સગીરા સપ્ટેમ્બર - ૨૦૧૭ માં ખેલ મહાકુંભની પ્રેકટી માટે શહરેની  વિવેકાનંદ સ્કુલના ગ્રાઉન્ડ ખાતે ગઇ હતી. ત્યારે જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે આવેલ ગણેશનગરમાં રહેતા અમિત ધીરૂભાઇ રાઠોડ (ઉ.વ. ૨૧)નામના શખ્સે ખેલ મહાકુંભની પ્રેકટીસ દરમ્યાન સગીરા સાથે પરિચય કેળવેલ. આ પછી લલચાવી ફોસલાવીને તરૂણીને પ્રેમજાળમાં ફસાવી સપ્ટેમ્બર-૨૦૧૭ થી માર્ચ - ૨૦૧૮ના ૭ માસ દરમ્યાન સગીરા ઉપર ૧૦ વખત બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ ભોગ બનનાર કિશોરીની બિભત્સ કલીપ અને ફોટા પાડી તે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.  આ અંગે  ગઇકાલે  તરૂણીએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ પી.આઇ. વાળા ચલાવી રહ્યા છે. 

(4:15 pm IST)