Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

નિર્વાણ લાડુ મહોત્સવના વિરોધમાં ભવનાથ ખાતે બીજા દિવસે પણ સંતોના ઉપવાસ

મહામંડલેશ્વર ભારતીબાપુ તથા મુકતાનંદબાપુ સહિતના જોડાયા

જુનાગઢ તા. ૧૮ : નિર્વાણ લાડુ મહોત્સવના વિરોધમાં આજે બીજા દિવસે પણ ભવનાથ ખાતે સંતોએ પ્રતિક ઉપવાસ કરી મહોત્સવ સામે આક્રોશ વ્યકત કર્યો છે.

ગિરનાર પર્વત પર આવેલ ગુરૂદત્ત શિખરે દિગમ્બર જૈન સમાજના શ્રી નિર્મલ સાગરજી મહારાજ દ્વારા નિર્વાણ લાડુ મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે. જેની સામે છેલ્લા ૮ વર્ષથી ગિરનાર તિર્થ ક્ષેત્રના સંતો વિરોધ કરી રહ્યા છે. છતા પણ તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવ્યા છ.ે

આજે બીજા દિવસે મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ, ચાપરડાના મહંત શ્રીમુકતાનંદબાપુ, ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુ, ગૌરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથબાપુ, સ્વામી મુકતાનંદ  સહિતના સંતો-મહંતો અને ભાવિકોએ પ્રતિક ઉપવાસ કરીને નિર્વાણ લાડુ મહોત્સવ સામે વિરધ નોંધાવ્યો છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(4:05 pm IST)