Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

જામનગર-મેંદરડામાં બે કલાકમાં બે ઇંચઃ ગીર ગઢડા- માંગરોળમાં દોઢ ઇંંચઃ જામજોધપુર - પોરબંદરમાં ૧ ઇંચઃ માધવપુર ઘેડના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા

રાજકોટ, તા., ૧૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે હળવો-ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે જામનગર અને જુનાગઢના મેંદરડામાં ર કલાકમાં ર ઇંચ વરસાદ પડયો છે.

જયારે માંગરોળ અને ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે જામજોધપુર વિસાવદર અને પોરબંદરમાં ૧ ઇંચ વરસાદ  પડયો છે.

જયારે વેરાવળ-તાલાળા-સુત્રાપાડા-કોડીનાર-ઉના-જામ કંડોરણા, માણાવદર, માળીયા હાટીના, કેશોદ, રાજુલા, જાફરાબાદમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત લાલપેુર,  ધ્રોલ, જોડીયા, ખાંભા, ધારી, ગોંડલ, રાજકોટ પડધરી, વાંકાનેર, જુનાગઢ, સાવરકુંડલાંમાં હળવા-ભારે ઝાંપટા વરસ્યા છે.

પોરબંદર જીલ્લાામાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યા બાદ માધવપુર ઘેડમાં  નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા. (૪.૧૫)

(3:45 pm IST)