Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ઉના કંટ્રોલ રૂમની રાત્રે ૩ વાગ્યે મુલાકાત લેતા કુંવરજીભાઈઃ વિજયભાઈના આદેશથી પ્રભારી સચિવ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

ગીર સોમનાથ, તા. ૧૮ :. ગીર સોમનાથ જીલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની વિકટ સ્થિતિના કારણે કાલે રાત્રીના ૩ વાગ્યે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉના ફલડ કંટ્રોલની મુલાકાત લીધી હતી. જ્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આદેશથી જીલ્લા પ્રભારી સચિવ સંજયનંદન, ઉના તાલુકામા વરિષ્ઠ સચિવ સુનયના તોમર, જીલ્લા કલેકટર કોડીનાર તાલુકામા તેમજ જીલ્લા વિકાસ અધિકારી ગીર ગઢડા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સવારથી આવ્યા છે.

(11:47 am IST)