Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકાર : સૌરાષ્ટ્રના 128 ગામડાંમાં વીજળી ગુલ

ભારે વરસાદને કારણે 593 વીજળીના થાંભલાઓને નુકસાન

રાજકોટ :ગીર-સોમનાથ જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 128 ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મોરબીના 12, જામનગરના 126, પોરબંદરના, 10, જૂનાગઢના 4, ભાવનગરના 34, અમરેલીના 47 અને બોટાદના 5 ગામનો સમાવેશ થાય છે. તો વરસાદને કારણે 593 વીજળીના થાંભલાઓને નુકસાન થયું છે. પાણી ભરાઇ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

(7:48 pm IST)